તાજેતરમાં જ સરકારે એક એવી સુવિધાનો અમલ શરૂ કર્યો છે, જેના દ્વારા હવે રેશન કાર્ડ ધારકોએ એક જ રેશન દુકાન પરથી અનાજ લેવાની જરૂર નથી. હવે તમે તમારી સુવિધા મુજબ કોઈપણ રેશનની દુકાન પરથી અલગ-અલગ અનાજ લઈ શકો છો, એટલે કે હવે તમે ક્યાંકથી ઘઉં તો ક્યાંકથી ચોખા લઈ શકશો.
લાંબી કતારો અને અનાજની અછતમાંથી મુક્તિ
હવે તમારે રેશનની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે કે મશીનમાં અંગૂઠો ન લાગવાની ક અનાજ ઉપલબ્ધ નથી જેવી મુશ્કેલીયાઓનો સામનો નહીં કરવો પડે. આવે આપણી જરૂરિયાત મુજબ કોઈ પણ દુકાન પરથી ચોખા કે ઘઉ અને અન્ય વસ્તુ લઈ શકશો. જેની માહિતી સોશિયલ મીડિયા પર કેન્દ્રીય રાજ્ય મંત્રી બી. એલ. વર્માએ આપી છે.
વન નેશન વન રેશન કાર્ડથી સુવિધા
કેન્દ્રીય સરકારે જણાવ્યું છે કે સરકાર 'વન નેશન વન રેશન કાર્ડ' (ONORC) યોજના હેઠળ રેશન વિતરણને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. આ યોજના દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાના રેશનનો અલગ-અલગ હિસ્સો પોતાની સુવિધા મુજબ અલગ-અલગ જગ્યાએથી લઈ શકે છે. દેશના કોઈપણ ભાગમાંથી તમે આ સુવિધા મેળવી શકો છો. આ યોજનાનો સૌથી મોટો ફાયદો પ્રવાસી મજૂરોના પરિવારોને મળશે. હવે તેમણે રેશન લેવા માટે પોતાના ગામની રેશન દુકાન સાથે જોડાયેલા રહેવાની જરૂર નથી, પરંતુ તેઓ દેશના કોઈપણ રાજ્ય કે શહેરમાં રહીને પોતાના હિસ્સાનું રેશન આધાર અને બાયોમેટ્રિક દ્વારા મેળવી શકે છે.
ATM મશીનની જેમ ગમે ત્યાંથી અનાજ
આ સુવિધા બિલકુલ એટીએમ (ATM)ની જેમ કામ કરે છે. જેમ તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી લો છો, તેવી જ રીતે રેશન લેવા માટે તમે દેશના કોઈપણ ખૂણેથી પોતાનું અનાજ મેળવી શકો છો.
ભ્રષ્ટાચાર પર રોક: આ સિસ્ટમ ઓનલાઈન હોવાને કારણે કોઈપણ દુકાનદાર અનાજ આપવાની ના પાડી શકતો નથી.
નોંધ: આ સુવિધાનો લાભ લેવા માટે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક (આધાર સીડિંગ) થયેલું હોવું ફરજિયાત છે.