Vishabd | અંબાલાલ પટેલની આગાહી: કાલથી ફરી વરસાદનીં ઘાત, અહીં પડશે ગાજવીજ સાથે વરસાદ! અંબાલાલ પટેલની આગાહી: કાલથી ફરી વરસાદનીં ઘાત, અહીં પડશે ગાજવીજ સાથે વરસાદ! - Vishabd
Vishabd
Whatsapp Group Join
અંબાલાલ પટેલની આગાહી: કાલથી ફરી વરસાદનીં ઘાત, અહીં પડશે ગાજવીજ સાથે વરસાદ!

અંબાલાલ પટેલની આગાહી: કાલથી ફરી વરસાદનીં ઘાત, અહીં પડશે ગાજવીજ સાથે વરસાદ!

Team Vishabd by: Akash | 01:06 PM , 24 May, 2023
Whatsapp Group

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને રાજ્યમાં પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાઇ રહ્યા છે.

પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ રહ્યું છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 24 કલાક મહત્તમ તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. જ્યારે પવનની ગતિ તેજ થશે. આવતીકાલથી 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પવનની ગતિ તેજ થવાના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે. પરંતુ આ વર્ષે વિશિષ્ટ સ્થિતિના લીધે મે માસમાં પણ મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જે ઋતુ પરિવર્તન જેવું ગણાય છે.

તેમના જણાવ્યા અનુસાર, 24થી 30 મેના દેશના ઉતર પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પૂર્વ યુપીમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા રહેશે. જેની અસરના કારણે ગુજરાતના અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે.

જેમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. અરબ સાગરના ભેજ જેની અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મળતા આવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. સૌરાષ્ટ્રના ભાગો, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. તેમજ આંધી વંટોળનું પ્રમાણ પણ વધુ રહેશે.

અંબાલાલ પટેલે પહેલા જ અનુમાન લગાવ્યું હતું કે, મેં મહિનાના વાતાવરણ પલટો આવશે. કેટલાક વિસ્તારમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી હતી.

આ સાથે જ તાપમાનનો પારો ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં પશ્ચિમ પવનો કે જે અરબી સમુદ્ર પરથી આવી રહ્યા છે તે ભેજ લઈને આવે છે જે આગામી સમયમાં ગરમી ઘટતા ભેજનું પ્રમાણ વધી શકે છે અને તેના કારણે બફારો અને અકળામણ અનુભવાઈ શકે છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે તે અંગે વાત કરીને જણાવ્યું છે કે, ગુજરાતનું આગામી પાંચ દિવસનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવનાઓ છે. વરસાદ થવાની વધુ સંભાવનાઓ નથી.

Whatsapp Group
સબંધિત પોસ્ટ