આર્દ્રા નક્ષત્ર પછી આજથી પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. આજે 6 જુલાઈ 2022, અશઢસુદ સાતમનાં 11:13 કલાક:મિનિટે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે. પુનર્વસુ નક્ષત્ર 6 જુલાઈથી 20 જુલાઇ સુધી જોવા મળશે. ત્યાર બાદ 20 જુલાઈથી પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે પુષ્પા નક્ષત્રનું વાહન ઘોડો છે.
આ પણ વાચો: આગામી 24 કલાકમાં મેઘ તાંડવ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
પુનર્વસુ નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળશે?
આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ રહેશે. આજથી આ નક્ષત્રનો પ્રારંભ થવાનો છે. તે સાથે હવામાન વિભાગે પણ આગામી 7 થી 10 તારીખમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં તો રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યા છે. તે જોતાં આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
જો પુનર્વસુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્રમાં સારો વરસાદ પડે તો આખું વરસાદ સારું જાય છે. ને ખગોળશાસ્ત્રીઓ નાં અનુમાન પ્રમાણે આ વર્ષે સારો વરસાદ રહેશે.
બે નક્ષત્રો વિશે બોલતાં વાક્યો :
"પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા"
પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને ધણીવાર વાહન ઉપરથી જ વરસાદનો વરતારો નક્કી કરવામાં આવતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે. એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે. પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે તેમનું વાહન ઘોડો છે અને તે નક્ષત્રમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળતો હોય છે.
આ પણ વાચો: એલર્ટ: આજે રાત્રે મેઘ તાંડવ, કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ, જાણો કયા જીલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી
6 તારીખ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અને આણંદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ઓરેંજ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.
7 તારીખ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. અને વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ આગાહી વ્યકત કરવામાં આવી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.
8 તારીખ: બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે. અને ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાસ જાહેરાત
આ આર્ટીકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવોદ અમારી વેબ સાઇટ “Vishabd” કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટીકલની નકલ કરવી નહીં.