Vishabd | મીની વાવાઝોડુ: 11 જિલ્લામાં એલર્ટ, 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ભારેથી અતિભારે વરસાદની આગાહી મીની વાવાઝોડુ: 11 જિલ્લામાં એલર્ટ, 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ભારેથી અતિભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
મીની વાવાઝોડુ: 11 જિલ્લામાં એલર્ટ, 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

મીની વાવાઝોડુ: 11 જિલ્લામાં એલર્ટ, 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 10:38 AM , 28 June, 2022
Whatsapp Group

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયુ છે. અને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થઇ શકે છે. ત્યારે મીની વાવાઝોડા જેવી સ્થિતિની આશંકા ગુજરાતના દરિયાકાંઠે સેવાઈ રહી છે.

ગુજરાતના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. જેથી ગુજરાત રાજ્યના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અહીં લોકેશન અસરથી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રોકાઈ શકે છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

આજથી પહેલી જુલાઈ સુધી માછીમારો અને દરિયો નાખેલો જોવાની સૂચના આપવામાં આવી છે. અને આજે ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. બીજી તરફ ૧૧ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે સુરત વલસાડ નવસારી માં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાહોદ અને છોટાઉદેપુર માં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ભરૂચ, તાપીમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

જ્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે ત્યાં જ જખો, માંડવી પર 3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના સેવાઇ રહી છે.

3 નંબરનું સિગ્નલ ક્યા બંદર પર લગાવવામાં આવ્યો?

જખૌ, માંડવી પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં 3 નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

હાલમાં વલસાડમાં દરિયો ભારત તોફાની બન્યો છે. જિલ્લાના ૭૦ કિલોમીટર ના દરિયામાં ઉચ્ચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. સલામતી ભાગરૂપે વલસાડ જિલ્લાના પોલીસ વિભાગે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ