Vishabd | દેશી ગાય સહાય યોજના: ગાય દીઠ દર મહિને મળશે 900 રૂપિયા, જાણો ગુજરાત સરકાર ની નવી યોજના વીશે, સંપુર્ણ માહીતી દેશી ગાય સહાય યોજના: ગાય દીઠ દર મહિને મળશે 900 રૂપિયા, જાણો ગુજરાત સરકાર ની નવી યોજના વીશે, સંપુર્ણ માહીતી - Vishabd
Vishabd
Whatsapp Group Join
દેશી ગાય સહાય યોજના: ગાય દીઠ દર મહિને મળશે 900 રૂપિયા, જાણો ગુજરાત સરકાર ની નવી યોજના વીશે, સંપુર્ણ માહીતી

દેશી ગાય સહાય યોજના: ગાય દીઠ દર મહિને મળશે 900 રૂપિયા, જાણો ગુજરાત સરકાર ની નવી યોજના વીશે, સંપુર્ણ માહીતી

Team Vishabd by: Majaal | 01:00 PM , 23 May, 2022
Whatsapp Group

 ગુજરાત સરકારે પોતાની એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર અને ખેડૂતો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે એક ગાય દીઠ રૂપિયા 900/-ની સહાય પ્રતિ માસ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદ રૂપે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેકવિધ નવતર કાર્યક્રમો, યોજનાઓ અને અભિયાન અમલમાં મુકયા છે જે પૈકી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા પર રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

કેટલી સહાય મળશે: દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ પેટે રૂપિયા 900/- પ્રતિમાસ વાર્ષિક રૂ. 10,800/-ની વાર્ષિક મર્યાદામાં ચૂકવવામાં આવશે.

આ યોજના હેઠળ અરજી મંજુરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ.900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે.
દર ત્રણ માસે ગાયના ટેગ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.
લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજૂ કરવાનું રહેશે. જેના આધારે ત્રિમાસિક સહાય મળશે.
જે લાભાર્થીઓએ દેશી ગાય સહાય મેળવેલ હોય અને પ્રાકૃતિક કૃષિ ન કરતા માલૂમ પડે તો આગળના ત્રિમાસિક સહાય બંધ કરવામાં આવશે.

જોઈએતો, અરજદાર ખેડૂત અરજીના સમયે આઈડંટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ અને તેના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈશે અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે.

ડોક્યુમેન્ટ:
આધાર કાર્ડ
7/12 8-અ ના ઉતારા
બેન્ક પાસબૂક
રાશન કાર્ડ 
જાતિ નો દાખલો
ગાય નો ટેગ નંબર
દૂધ ઉત્પાદક મંડળી ના સભ્ય હોય તો તેનો દાખલો.

અરજી કેમ કરવી: Ikhedut Portal પર જાઓ
યોજના ના વિકલ્પ માં અન્ય યોજનાઓ પૈકી આત્માની પ્રાકુર્તિક યોજનાઓ પર ક્લિક કરો
માંગવામાં આવેલી તમામ માહિતી ભરી ને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો.
દસ્તાવેજો અપલોડ કર્યા બાદ આવેદન સબમિટ કરી દો.

જે કોઈ ખેડૂત મિત્રોને અરજી કરવામાં કોઈ તકલીફ હોય તો ખેડૂત સાયબર કાફે અથવા ગ્રામ પંચાયત ઓફીસે જરૂરી દસ્તાવેજ લઈને અરજી કરી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ