Vishabd | તબેલા લોન યોજના, પશુપાલકોને મળશે 4 લાખની લોન, જાણો સંપૂર્ણ માહિતી તબેલા લોન યોજના, પશુપાલકોને મળશે 4 લાખની લોન, જાણો સંપૂર્ણ માહિતી - Vishabd
Vishabd
યોજનાઓ

તબેલા લોન યોજના, પશુપાલકોને મળશે 4 લાખની લોન, જાણો સંપૂર્ણ માહિતી

Team Vishabd by: Majaal | 05:29 PM , 14 May, 2023 તબેલા લોન યોજના, પશુપાલકોને મળશે 4 લાખની લોન, જાણો સંપૂર્ણ માહિતી

મિત્રો, પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે બોલ મળશે. સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવામાં માટે રૂપિયા 4,00,000ની લોન આપવામાં આવે છે. જો તમારે પણ તબેલા બનાવવા માટે લોન લેવી છે તો આ પોસ્ટ પુરી વાંચો.

અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
જેમની વાર્ષિક આવક રૂ. 1,20 , 000/- ગ્રામીણ વિસ્તાર માટે અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે.
લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.

લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.

લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)
લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
અરજદારે લોન માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇડ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.
વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી.

તબેલા લોન માટે જરૂરી દસ્તાવેજો
અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.
આધાર કાર્ડની નકલ
અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત)
અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો)
જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)

અરજી મેળવવાનું સ્થાન
જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https://adijatinigam.gov.in પરથી મેળવી શકાશે

લાભાર્થીએ પોતાની અરજીની માહિતી ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, બાંયધરી આપનારની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે.
જેમાં સ્કીમની પસંદગીમાં “ લોન સ્કીમ ફોર સ્ટેબલ ” પસંદ કરીને આગળની કોલમમાં લોનની રકમ ચૂકવવાની રહેશે .
તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો, બેંક ખાતાની વિગતો, અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ, અરજીને ફરીથી ચેક કરીને સેવ કરવાની રહેશે.
સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લેવી અને સાચવવી પડશે.

સબંધિત પોસ્ટ