Vishabd | ખેલૈયાઓ માટે વરસાદ બનશે વિઘ્ન! હવામાન વિભાગે આગામી 4 દિવસની કરી મોટી આગાહી ખેલૈયાઓ માટે વરસાદ બનશે વિઘ્ન! હવામાન વિભાગે આગામી 4 દિવસની કરી મોટી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ખેલૈયાઓ માટે વરસાદ બનશે વિઘ્ન! હવામાન વિભાગે આગામી 4 દિવસની કરી મોટી આગાહી

ખેલૈયાઓ માટે વરસાદ બનશે વિઘ્ન! હવામાન વિભાગે આગામી 4 દિવસની કરી મોટી આગાહી

Team Vishabd by: Akash | 06:34 PM , 10 October, 2024
Whatsapp Group

હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી

નવરાત્રીમાં ગરબે રમતા ખેલૈયાઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વરસાદની આગાહી કર્યા બાદ હવે વરસાદને લઈને હવામાન ખાતાની આગાહી સામે આવી છે. હવામાન ખાતાએ આજથી ચાર દિવસ વરસાદને લઈને આગાહી કરી છે. વિગતો મુજબ રાજ્યમાં નવસારી સુધી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી વરસાદી માહોલ રહેશે.

આ પણ વાંચો : તૈયાર રહેજો બધા ગુજરાતમાં 4 દિવસ બાદ માવઠાનો ભારે રાઉન્ડ આવશે? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

વરસાદ ક્યાં વિસ્તારો ભીંજવશે?

હવામાન ખાતાએ આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ દરિયાઈ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં નવસારી,ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સુરત, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ત્રણ દિવસ તાપમાન ઘટશે બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે. નોંધનિય છે કે, આ વર્ષે ગુજરાતમાં 25% કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : છત્રી રેઇનકોટ કાઢીને તૈયાર રહેજો, 13 થી 18 તારીખમાં કઈ જગ્યાએ વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

ગીર-સોમનાથમાં ગઈકાલ રાત બાદ ફરી વરસાદી માહોલ જામ્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર-સોમનાથમાં ગઈકાલ રાત બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે કોડીનાર, વેરાવળ, ઉના, સુત્રાપાડામાં વરસાદ પડ્યો તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધવામાં આવ્યો છે. આ તરફ વરસાદને લઈને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વાર 12 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત, વડોદરા, બોડેલીમાં વરસાદ પડશે તો આહવા, ડાંગ વલસાડ અને નવસારીમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આ સાથે પંચમહાલ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ 14 થી 22 ઓક્ટોબર દરમિયાન દરિયામાં તોફાન બનવાની સંભાવના છે.

હવામાન ખાતાએ કરી ફરી એક વખત વરસાદની આગાહી

આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન ખાતાની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.. હવામાન ખાતાએ તાપી, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, નર્મદા જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના ભાગોમાં, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. આવી પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થશે અને વરસાદની પણ સંભાવના છે. જોકે હાલ વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી.

12 થી 18 ઓક્ટોબરના રોજ વાવાઝોડું આવી શકે!

આગાહી દરમિયાન હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં બનતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની સંભાવના રહેશે. 2 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ