નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ દેખાતો જોવા મળી રહ્યો છે. અને મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રીની ખૂબ મજા માણી રહ્યા છે. જો કે હવામાન ખાતા તરફથી ફરી એકવાર ખેલૈયાઓ માટે ચિંતા કરતી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા આગામી ચાર દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : છાતીના પાટિયા બેસી જાય એવી અંબાલાલ પટેલની આગાહી, જાણો વાવાઝોડુ ગુજરાતમાં ક્યારે?
વરસાદને લઈ હવામાન નિષ્ણાંત એવા એ. કે. દાસે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર ઉત્પન્ન થયું છે, જેના કારણે ગુજરાત તરફ ભેજ આવશે, તેમજ આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સોમવાર સુધી વાતાવરણ કેવું રહેશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
ઉલ્લેખનીય છે કે એક તરફ નવરાત્રીનો તહેવાર બરોબરનો જામ્યો છે. ત્યારે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો હજુ પણ ચિંતામાં છે. હવામાન ખાતા દ્વારા આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'આગામી 16 થી 22 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાનમા ફેરફાર થવાની સંભાવના છે. 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળશે જેના કારણે રાજ્યનાં કોઈ-કોઈ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.